૧૯ મી સદીમાં પ્રારંભ કરેલ યાત્રાનો એકવીસમી સદીના ડીઝીટલ યુગમા પ્રયાણ. સમસ્ત સતવારા મહામંડળ અમદાવાદની સ્થાપના ૧૯૯૧ માં સમાજના વડીલો દ્વારા કરેલ.
સમાજને શિક્ષિત અને નિર્વ્યસની બનાવવા, ઓબીસી લાભ આપવા, એજ્યુકેશનને પ્રમોટ કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા.
સમસ્ત સતવારાનું એક મજબૂત, સાંસ્કૃતિક, અને શિક્ષિત સમુદાય બનાવવું.
પરંપરા જાળવીને આધુનિક ટેકનોલોજી સાથે સમાજને શિક્ષિત અને સશક્ત બનાવવું.

એકવીસમી સદીના ડીઝીટલ યુગમાં આપણી સંસ્થા એજ્યુકેશન અને સમાજ સેવા માટે આગ્રહી છે.
સમય સાથે તાલમેલ બેસાડીને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી, વિદ્યાર્થીઓ માટે સરળ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
ભવિષ્યમાં આપણા સમાજની દીકરીઓ માટે અમદાવાદ જેવા મેટ્રો સીટીમાં ઉચ્ચ અભ્યાસ અર્થે આવતી દીકરીઓને રહેવામાટે અધ્યતન સુવિધા યુક્ત કન્યાછાત્રાલયના નિર્માણનું કાર્ય ચાલુ છે જેમાં આપ સૌના સાથ સહકારની અપેક્ષા સાથે જય સિધ્ધનાથ . . . જય સતવારા સમાજ . . .

સમુહની સામર્થ્યપૂર્ણ શક્તિનું એકતાનું પ્રતિક.