
વિશ્વભરમાં વસતા સતવારાનું ગૌરવ બનેલી આપણી સમસ્ત સતવારા મહામંડળ સંસ્થા નવા સમય સાથે પરંપરાને જાળવીને કદમ મિલાવી રહી છે. પરંપરા, સંસ્કાર અને સંસ્કૃતિના પાયા પર નિર્માણ પામેલી આપણી વ્યવસ્થા સાંપ્રત સમયના નાવિન્યને આવકારીને ટેકનોલોજી સાથે આગળ વધી રહી છે.
વરસો પહેલા આપણા વડવાઓએ આપણા સમાજના બાળકો આર્થિક અછતના લીધે અભ્યાસથી વંચીત ન રહી જાય અને અમદાવાદ જેવા શહેરમાં તેમને આસરો મળી રહે તેવા શુભ ઉદેશ્ય સાથે સંસ્થાની શરૂઆત કરી હતી. કુમાર અને કન્યા એમ બંને છાત્રાલયોમાં વર્ષે અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને પ્રગતિનો માર્ગ કંડારે છે.
અત્યાધુનિકતાને અપનાવીને આ વરસથી એડમિશન પ્રોસેસ એટલે પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન કરવાનો નિર્ધાર કર્યો છે. આપણી સંસ્થાની વેબસાઈટ પર વિદ્યાર્થી ઘરે બેઠા હોસ્ટેલ એડમિશન માટે અરજી કરી શકશે.
પહેલાં વિદ્યાર્થીએ રૂબરૂ આવીને ફોર્મ ભરવું પડતું હતું. હવે ઓનલાઈન પ્રક્રિયા દ્વારા પ્રવેશ આપવામાં આવશે, જેના લીધે સમય અને ખર્ચની મોટી બચત થશે અને દરેક માટે સરળ બનશે.



















સમુહની સામર્થ્યપૂર્ણ શક્તિનું એકતાનું પ્રતિક.
Copyright © 2024 Satvara Maha Mandal, All rights reserved.